Service unto Humanity is Service unto God !
અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખશ્રી પૂ. મુક્તાનંદ બાપુના પ્રાગટ્યદિને જૂનાગઢમાં યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં યોગી ડિવાઈન સોસાયટી-હરિધામ-સોખડાના કાર્યકર્તાઓ તથા યુવાસેનાએ ૧૨૪ યુનિટ રક્તદાન કરીને આત્મીયતાનો અર્ઘ્ય અર્પણ કર્યો. આ કેમ્પમાં પૂ. મુક્તાનંદબાપુ અને શ્રી સી. આર. પાટીલજી ની વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી તથા શ્રી જવાહર ચાવડાજી, શ્રી ધીરુભાઈ ગોહિલ (મેયરશ્રી, જુનાગઢ) તથા અન્ય મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહી. આ રક્તદાન કરવા બદલ યોગી ડિવાઈન સોસાયટી-હરિધામ-સોખડાના યુવકોને બિરદાવ્યા હતા.
હરિધામ-સોખડા દ્વારા વડીલો માટેના-આત્મીય પોઝીટીવ કેર(પોસ્ટ કોવીડ સેન્ટર)નું ઉદ્ઘાટન પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજી(કોઠારીસ્વામી)ના પવિત્ર સાંનિધ્યમાં તથા શ્રી વિજયભાઈ રૂપાણીજી, શ્રી સી. આર. પાટીલજી તથા શ્રીકાકુજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આત્મીયધામ, વડોદરા ખાતે કરવામાં આવ્યું.