Service unto Humanity is Service unto God !
અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખશ્રી પૂ. મુક્તાનંદ બાપુના પ્રાગટ્યદિને જૂનાગઢમાં યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં યોગી ડિવાઈન સોસાયટી-હરિધામ-સોખડાના કાર્યકર્તાઓ તથા યુવાસેનાએ ૧૨૪ યુનિટ રક્તદાન કરીને આત્મીયતાનો અર્ઘ્ય અર્પણ કર્યો. આ કેમ્પમાં પૂ. મુક્તાનંદબાપુ અને શ્રી સી. આર. પાટીલજી ની વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી તથા શ્રી જવાહર ચાવડાજી, શ્રી ધીરુભાઈ ગોહિલ (મેયરશ્રી, જુનાગઢ) તથા અન્ય મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહી. આ રક્તદાન કરવા બદલ યોગી ડિવાઈન સોસાયટી-હરિધામ-સોખડાના યુવકોને બિરદાવ્યા હતા.
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હરિધામ-સોખડાના સંતો-ભક્તો વતી સાધુ પ્રેમસ્વરૂપદાસજી સંકલ્પ કરે છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ અમે સૌ માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશું નહિ, સોશિયલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશું, વારંવાર સાબુથી હાથ ધોઈશું.
પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી મહારાજનો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સંદેશ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ સહુ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો તેમજ હાથ સાબુથી સાફ કરતા રહેવાનો સંકલ્પ કરીએ. આપણે જાગૃત રહીએ અને અન્યને પ્રેરિત કરીએ.
"मानव सेवा ही प्रभु सेवा है।” प.पू. स्वामीजी महाराज की इस परावाणी को अपने जीवन का लक्ष्य बनाकर योगी डिवाइन सोसाइटी के कार्यकर्ताओं ने निःस्वार्थ भावना से राष्ट्रहित में अपने आप को झोंक दिया है। ऐसे समर्पित युवा योद्धाओं को शत शत नमन।